ગીત : અમે જો ન હોય તો….
લેખક : ફાલ્ગુન કુમાર ‘તથાગત’
અમે જો ન હોય તો કોને ફરક પડે છે….(૨)
અમારા હાજરી કાળે કોને અસર પડે છે.
અમે જો ન હોય…..
રસ નિચોવ્યા પછી ફૂલોની શી જરૂર છે….(૨)
કેરીને ગોર્યા પછી ગોટલાની શી જરૂર છે.
અમે જો ન હોય……
દૂધને દોહયા પછી ગાયોની શી જરૂર છે…..(૨)
કઢી વધાર્યા પછી લીમડાની શી જરૂર છે.
અમે જો ન હોય……
મેઘો પડ્યા પછી પાણીની શી જરૂર છે…..(૨)
તાપણે તપ્યા પછી સૂરજની શી જરૂર છે.
અમે જો ન હોય…..
પાકને લણયા પછી ખેતરની શી જરૂર છે…..(૨)
માલને વેચ્યા પછી ગ્રાહકની શી જરૂર છે.
અમે જો ન હોય…..
રાતને માણ્યા પછી દિવસની શી જરૂર છે…..(૨)
તેલને કાઢયા પછી બીજોની શી જરૂર છે.
અમે જો ન હોય…..
ફળને મેળવ્યા પછી કરમોની શી જરૂર છે…..(૨)
સ્વાર્થને સિધ્યા પછી માણસની શી જરૂર છે.
અમે જો ન હોય…..
મોટા બન્યા પછી પાલકની શી જરૂર છે….(૨)
ભેળા થયા પછી વિરહની શી જરૂર છે.
અમે જો ન હોય તો કોને ફરક પડે છે….(૨)
અમારા હાજરી કાળે કોને અસર પડે છે.
કોને અસર પડે છે….કોને ફરક પડે છે…..
© All rights are reserved to Falgun Purani.